Ahmedabad News : અમદાવાદની ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ લાગતા આખા બિલ્ડિંગ તથા કેમ્પસમાં ભાગદોડી મચી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બિગ્રેડને જાણ કરતાં નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં 25થી વધુ ફાયરકર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા

100 લોકોનું રેસ્ક્યુ
આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પહોંચ્યા હતા. ફાયરની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 100થી વધુ લોકોનું સ્નોરકેલથી નીચે ઉતારીને રેસ્ક્યુ કર્યું. આગ લાગતા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતા, જેના કારણે ચારથી પાંચ લોકોને ગુમરાહમણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.










