![]()
Ahmedabad News : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે એક જ પરિવારના ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. ત્રણ લોકોના મૃતદેહો મળી આવતા નાયબ મામલતદાર, DySPનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. બનાવમાં સામૂહિક આપઘાતની આશંકા વર્તાઈ રહી છે. બનાવમાં 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે ત્રણ લોકોના મૃતદેહ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક આવેલી ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ગળાના ભાગે છરીના ઘા જોવા મળ્યા હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: ‘તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ’, બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર
ઘટનાસ્થળે પોલીસને 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને હત્યા કે આત્મહત્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે.










