![]()
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-2021 થી 26 સુધીની ટર્મ પૂરી થઈ ગઈ છે. ટર્મ પૂરી થવાના છેલ્લા કેટલાક દિવસોમાં તો મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની શાસકપક્ષમાં રીતસરની હોડ લાગી હતી. થલતેજ વોર્ડમાં જ્યાં જમીનનો ભાવ વારે રૂપિયા 2.50 લાખ સુધીનો ચાલે છે, તેવા પોશ એરિયામાં કોર્પોરેશનના અંદાજે રૂપિયા 225 કરોડની કિંમતના બે પ્લોટ નર્સરી બનાવવાના નામે વગર ભાડે દસ વર્ષ માટે પધરાવી દેવાયા છે.
વારનો ભાવ 2.50 લાખ છે ત્યાં મફતમાં જમીન
જ્યાં વારે રૂ. 2.50 લાખ સુધીનો ભાવ ચાલે છે, એ જગ્યાની ખેરાત થઈ ગઈ છતાં કોંગ્રેસમાંથી કોઈએ વિરોધ પણ કર્યો નહોતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, કોર્પોરેશનની તિજોરીને મોટું નુકસાન થતું હોવાનું ધ્યાનમાં આવ્યા પછી પણ રિક્રિએશન કમિટી દ્વારા મંજૂર કરાયેલી નંબર-206 ની 8821 ચોરસમીટરનો પ્લોટ ફેસ બ્લૂમ નર્સરીને તથા ટી.પી. સ્કીમ નંબર-37 ના ફાઈનલ પ્લોટ નંબર-53ની અંદાજે ત્રણથી પાંચ હજાર લાભ થવાનો જ નથી. પાર્કિંગ સ્પેસ પણ વાર્ષિક અપસેટ વેલ્યુ સાથે આપનારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો અને તંત્રના અધિકારીઓએ દસ વર્ષ માટે આ પ્લોટ પધરાવી દીધા છે.
આ પણ વાંચો : ‘ભારતને શોર્ટ ટર્મ માટે રશિયન ઓઈલ ખરીદવાની છૂટ…’ હવે વ્હાઈટ હાઉસે કરી ચોખવટ
કોર્પોરેશનને દરખાસ્ત મંજૂર કરવાથી શું નુકસાન થશે?
– દસ વર્ષ સુધી ભાડા પેટે એકપણ રૂપિયો નહીં મળે.
– દસ વર્ષ સુધી ઉત્પાદનના ૨૫ ટકા છોડથી વધુ છોડ નહીં મળે.
– એજન્સીને ત્રણ હજાર વાર જગ્યા આપવી કે પાંચ હજાર ભવિષ્યમાં ઈચ્છા મુજબ બદલાશે.
– દસ વર્ષ પછી આ બંને પ્લોટની કિંમત આકાશને આંબશે છતાં કોર્પોરેશનને કાંઈ નહીં મળે.
– કોર્પોરેશન જો 25 ટકા રોપા આ નર્સરીઓ પાસેથી ના લે તો નર્સરીઓ તે રોપા માર્કેટમાં વેચીને કમાણી કરી શકશે.
– નેબારી બોન્સાઈ ગેલેરી હિના મનન જરીવાલા તથા ફ્રેશબ્લૂમ નર્સરીને હાઈટેક સ્માર્ટ નર્સરી માટે દસ વર્ષ માટે પધરાવાયેલી જગ્યા દસ વર્ષ પછી પણ તેની સમયમર્યાદા વધારી શકાશે એવી શરત શાસકોએ કોના ઈશારે ચૂપચાપ મંજૂર કરી દીધી એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપ તો ઠીક કોંગ્રેસે પણ વિરોધ ન કર્યો
આ દરખાસ્તનો ભાજપ તો ઠીક પણ કોંગ્રેસ તરફથી પણ કોઈએ વિરોધ કર્યો નહીં. કોર્પોરેશનની કોઈપણ સબ કમિટીની બેઠક મળવાની હોય તે અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષના નેતાને ત્યાં એજન્ડા બેઠક મળતી હતી. થલતેજ વોર્ડમાં આવેલી ટી.પી. સ્કીમ નંબર-37ના ફાઈનલ પ્લોટ ચોરસ યાર્ડ જગ્યા દસ-દસ વર્ષ માટે વગર ભાડે પધરાવવાની દરખાસ્ત જે મંજૂર કરાઈ તેમાં શાસકપક્ષના નેતાથી લઈ તમામની મૂક સંમતિ હશે જ તેમ માનવું પડે.
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનાં નામે ખેલ
આઘાતજનક બાબત તો એ છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના નામે જે ખેલ ખેલવામાં આવ્યો છે તેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ મોટો ફાયદો થવાનો નથી. શરતો નક્કી કરાઈ છે તેમાં કોર્પોરેશનની તિજોરીને જ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. સવાલ એ છે કે, આટલી ગંભીર બાબત હોવા છતાં ના તો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે પછી શાસકપક્ષ કે વિપક્ષના નેતાએ વિરોધ ના કર્યો.










