![]()
કલોલ : કલોલના ખાત્રજ અને છત્રાલમાં સર્જાયેલા વાહન અકસ્માતોમાં બે
લોકોના મોત થયા હતા ખાત્રજમાં રાહદારીને આઈવા ટ્રકે ટક્કર મારતા તેનું ગંભીર
ઇજાઓના પગલે મોત થયું હતું અને છત્રાલમાં રાહદારીને બાઈક ચાલકે ટક્કર મારતા તેમનું
સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માતના બંને બનાવો અંગે પોલીસે જવાબદાર વાહન
ચાલકો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના ખાત્રજ ગામે રહેતા
અમરેન્દ્ર બીરગુ સાહ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર યલ ૧૮ મા૪૮૭
ના ચાલકે તેમને ટક્કર મારી હતી ટ્રકની ટક્કરથી યુવકને ગંભીર ઇજાઓ તથા તેનું ઘટના
સ્થળે મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે રાજનકુમાર ની ફરિયાદના આધારે અકસ્માત
કરીને ટ્રક મૂકી ફરાર થઈ ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે અકસ્માતના
અન્ય એક બનાવવામાં કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા નિરમા કંપનીની કોલોની માં
રહેતા છગનભાઈ મગનભાઈ તડવી છત્રેશ્વર મહાદેવ પાસેના સવસ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ
રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને સામેથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં
તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે તેમના પુત્ર સંજયભાઈ
ની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.










