
– ઉન્નાવ રેપ કેસમાં સજા સસ્પેન્ડ કરવા, જામીનના હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે
– મારા પિતાની ઉત્તરક્રિયા નથી કરી, આજે પણ ધમકીઓ મળી રહી છે, સેંગરને ફાંસીએ લટકાવો ત્યારે જ ન્યાય થશે : પીડિતા
– સુપ્રીમે સેંગરને નોટિસ પાઠવી સીબીઆઇની અપીલ પર જવાબ માગ્યો, આગામી મહિનામાં વધુ સુનાવણી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા અપાઇ હતી, આ સજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત જામીન મંજૂર કરવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. હાઇકોર્ટના નિર્ણય સામેની કેન્દ્રીય એજન્સી સીબીઆઇની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સાથે જ બળાત્કારના દોષિત કુલદીપ સેંગરને પણ નોટિસ મોકલીને આ અપીલ પર જવાબ માગવામાં આવ્યો છે.










