
Shriprakash Jaishwal Died News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું શુક્રવારે કાનપુરમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. શુક્રવારે અચાનક તેમની તબિયત લથડતાં તેમને કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતા જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લહેર ફરી વળી છે.











