
બિહાર ચૂંટણીમાં પીએમ મોદીનો મહાગઠબંધન પર આક્ષેપ
એનડીએની સરકાર બિહારમાં એક કરોડ લોકોને રોજગારી આપશે, યુવાનોને રાજ્યમાં જ કામ મળી જશે : પીએમ મોદી
આરા/નવાદા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આ સપ્તાહે થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરા-નવાદામાં જનસભાને સંબોધન કરતા રાજદ, કોંગ્રેસ સહિત મહાગઠબંધન પર આકરો હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, રાજદે કોંગ્રેસના લમણે ‘કટ્ટો’ મૂકીને મુખ્યમંત્રીપદની ચોરી કરી લીધી છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર બાબા સાહેબ અને પૂર્વ નાયબવડાપ્રધાન બાબુ જગજીવન રામનું આપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે મહાગઠબંધનમાં ચાલતી ખેંચતાણ પર પણ કટાક્ષ કર્યો હતો.










