![]()
PM Svanidhi Scheme: શું તમે પોતાનો સ્મોલ બિઝનેસ શરૂ કરવા માગો છો પરંતુ પૈસાના અભાવે આગળ વધી નથી શકતા? તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં સરકાર કોઈપણ ગેરન્ટી વિના 90,000 સુધીની બિઝનેસ લોન આપી રહી છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળકામ કરવાની પણ જરૂર નથી. માત્ર એક ડૉક્યૂમેન્ટ દ્વારા પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે. અમે પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Scheme)ની વાત કરી રહ્યા છીએ. ચાલો તેની દરેક વિગતો જાણીએ..
કોરોના મહામારીના સમયથી મળી રહ્યો છે આ યોજનાનો લાભ
દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યારે સૌથી વધુ નુકસાન સ્મોલ બિઝનેસને થયું. તેમાં સ્ટ્રીટ વેંડર્સ સૌથી વધુ પ્રભાવિત થયા, કારણ કે તેમનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. આવા નાના વેપારીઓની મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એવા લોકોને પોતાનો બિઝનેસ ફરીથી શરૂ કરવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે. અગાઉ આ સરકારી સ્કીમમાં 80,000 સુધીની લોન આપવામાં આવતી હતી, જે 2025માં વધારીને 90,000 કરી દેવામાં આવી છે.
લિમિટ જ નહીં ડેડલાઈન પણ વધારી
પીએમ સ્વનિધિ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે સરકાર કોઈપણ ગેરન્ટી વિના લોન આપે છે અને નિશ્ચિત રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ યોજના હેઠળ માત્ર લોનની રકમ જ નહીં પરંતુ તેની લિમિટમાં પણ વધારો કર્યો છે. ગત ઓગસ્ટમાં મહિનામાં કેન્દ્રીય કેબિનેટે પીએમ સ્વનિધિ યોજનાના વિસ્તરણને મંજૂરી આપી હતી. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સાથે નાણાકીય સેવા વિભાગ 31 માર્ચ 2030 સુધી આ સ્કીમનું સંચાલન કરશે.
આવી રીતે મળે છે લોનના પૈસા
પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી લોનની પ્રોસેસ અંગે વાત કરીએ તો, તે ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. આ હેઠળ અરજદારોને નાનો બિઝનેસ શરૂ કરવા માટે 15,000 નો પહેલો હપ્તો આપવામાં આવે છે, ત્યારબાદ 25,000નો બીજો હપ્તો અને 50,000નો ત્રીજો હપ્તો આપવામાં આવે છે. સરકાર આ રકમ સીધી તમારી ક્રેડિબિલિટીના આધારે આપે છે.
સરળ શબ્દોમાં આ સ્કીમને સમજીએ તો જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિએ બિઝનેસ શરૂ કરવા માટે લોન માટે અરજી કરી છે, તો અપ્રૂવલ બાદ કોઈપણ ગેરન્ટી વિના પહેલા તેને 15,000 રૂપિયા લોન તરીકે આપવામાં આવશે, જે નિર્ધારિત સમયગાળામાં ચૂકવવા પડશે. નિર્ધારિત ટાઈમ લિમિટમાં આ રકમ ચૂકવ્યા પછી જ તેને તેમના બિઝનેસને આગળ વધારવા માટે 25,000નો બીજો હપ્તો મળશે. આ પણ તે જ રીતે ચૂકવવા પડશે, અને આમ કર્યા પછી જ તેઓ 50,000ની લોન મેળવવા માટે પાત્ર બનશે.
ફક્ત આ એક ડૉક્યુમેન્ટની જરૂર
આ 90,000ની લોન મેળવવા માટે તમારે તમામ કાગળકામ પૂર્ણ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક ડૉક્યુમેન્ટ તમારું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. આ ઉપરાંત તમારે આ લોન મેળવવા માટે કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ ગેરેન્ટી તરીકે આપવાની રહેશે નહીં. એક ડૉક્યુમેન્ટ સાથે તમારે ફક્ત એક કામ કરવાનું હોય છે અવે તે છે નિર્ધારિત સમયની અંદર પૈસા પરત કરવા. સૌથી મહત્વની વાત એ છે કે આ લોનની રકમ EMI Payment દ્વારા પણ ચૂકવી શકાય છે.
અરજી કરવાની પ્રોસેસ
– કોઈ સરકારી બેન્કમાં PM Svanidhi Yojna માટે અપ્લાઈ કરી શકો છો.
– પીએમ સ્વનિધિ યોજનાનું ફોર્મ લઈને તેમાં સંપૂર્ણ સાચી માહિતી ભરો.
– ભરેલું ફોર્મ એકવાર ચેક કરો અને તેની સાથે આધાર કાર્ડની કોપી જોડો.
– બેન્ક તમારી અરજીમાં ભરેલી માહિતી તપાસશે અને લોન મંજૂરી આપશે.
– અરજી મંજૂર થઈ ગયા પછી તમને લોનની રકમ ત્રણ હપ્તામાં મળવાનું શરૂ થશે.
કરોડો લોકોને મળી રહ્યો લાભ
સરકારી આંકડા પર નજર કરીએ તો ગત 30 જુલાઈ 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 68 લાખથી વધુ લાભાર્થીઓને 13,797 કરોડની 96 લાખથી વધુ લોન આપવામાં આવી છે. આશરે 47 લાખ લાભાર્થીઓ ડિજિટલી સક્રિય છે અને સરકાર દ્વારા આ યોજનામાં લોન મર્યાદામાં વધારાથી સરકારી તિજોરી પર 7,332 કરોડથી વધુનો બોજ વધવાની ધારણા છે. આ નિર્ણયથી 1.15 કરોડ સ્ટ્રીટ વેંડર્સને ફાયદો થવાની ધારણા છે.










