
Supreme Court Judge News : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ શનિવારે એક અત્યંત ગંભીર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર માત્ર એટલા માટે પુનર્વિચાર ન કરવો જોઈએ કારણ કે તે ચુકાદાઓ લખનારા જજ બદલાઈ ગયા છે. તેમણે આ ટિપ્પણી એવા કેસોના સંદર્ભમાં કરી હતી જ્યાં પાછળથી આવેલી બેન્ચ દ્વારા જૂના નિર્ણયોને પલટાવવાની પ્રથા વધી રહી છે.
જસ્ટિસ નાગરત્નાનું સૂચક નિવેદન










