
Jammu Kashmir News: કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ શનિવારે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો પરત મળી જશે. કેન્દ્રીય મંત્રીએ કોઈ સમય-મર્યાદા નથી બતાવી પરંતુ તેમણે કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે આ ટૂંક સમયમાં જ થશે.’
આઠવલેએ પત્રકારોને કહ્યું કે, ‘મને લાગે છે કે જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ પોતાનો રાજ્યનો દરજ્જો પરત મળી જવો જોઈએ, અને તેની માગ પણ થઈ રહી છીએ. ગત વર્ષ જ્યારે જમ્મુ કાશ્મીરમા વિધાનસભા ચૂંટણી થવાની હતી ત્યારે 60 ટકાથી વધુ મતદાન થયું હતું, જે દેશના કેટલાક અન્ય રાજ્યોથી વધુ હતું.’










