
Cloudburst Causes Havoc In Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ સહિતના જિલ્લામાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. બીજી તરફ ખરાબ વાતાવરણ અને ભૂસ્ખલનના કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા બે દિવસમાં 7 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુના અનેક જિલ્લાએમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.










