![]()
– વડાપ્રધાન પછી ગૃહપ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા
– 5 ઓગસ્ટ શુકનિયાળ મનાય છે ? તે દિવસે જ આર્ટિકલ 370 દૂર કરાઈ, પાંચમી ઓગસ્ટે જ રામ-મંદિર શિલાન્યાસ કરાયો : આ વખતે શો નિર્ણય લેવાશે ?
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રપતિ સુ.શ્રી દ્રૌપદી મુર્મુને મળ્યા. તે પછી થોડા સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ તેઓને મળવા રાષ્ટ્રપતિ ભવને પહોંચતાં જમ્મુ અને કાશ્મીર વિષે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાશે તેવી અટકળોની હવાએ જોર પકડયું છે, કે ૬ વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ફરી આવશે ?
આ બંને વરિષ્ઠ નેતાઓ રવિવારે રાષ્ટ્રપતિને મળ્યા તે પછી હવે મંગળવારે સવારે એન.ડી.એ.નાં સંસદીય દળની પણ બેઠક મળવાની છે. આ સાથે તે હવાએ જોર પકડયું છે કે પાંચમી ઓગસ્ટે મોદી સરકાર મહત્ત્વનો નિર્ણય લેશે. આ પૂર્વે રામ મંદિર શિલાન્યાસ તેમજ આર્ટિકલ ૩૭૦ દૂર કરવા અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણયો પાંચમી ઓગસ્ટે જ લેવામાં આવ્યા હતા. તે ૨૦૧૯નું વર્ષ હતું.
જોકે ત્યારથી જ માગણી ઊઠી હતી કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે વખતે વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું હતું કે યોગ્ય સમયે ફરી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યકક્ષાનો દરજ્જો ફરી અપાશે. થોડા સમય પૂર્વે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ કરેલા કેટલાંક વિધાનો તે અંગે સંકેત આપે છે.
ફારૂક અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું કે સરકાર તે જણાવે કે આખરે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્ય કક્ષાનો દરજ્જો ક્યારે મળશે ? તેઓએ આર્ટિકલ ૩૭૦ દૂર કરાયાની છઠ્ઠી જ્યંતિના એક દિવસ પૂર્વે આ માગણી દોહરાવવામાં આવી ફારૂક અબ્દુલ્લાએ રાજ્ય સભાની સીટ અંગે પણ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સભાની ૪ સીટો જમ્મુ કાશ્મીરને કેમ ન મળે ? તેવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો.
કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્ય કક્ષાનો દરજ્જો આપવા કે રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની પ્રક્રિયા તે છે કે તે અંગેના પ્રસ્તાવ સંસદનાં બંને ગૃહોમાંથી પસાર થવા જોઈએ તે પછી રાષ્ટ્રપતિ તેની ઉપર હસ્તાક્ષર કરતાં તે સંવૈધાનિક કાનૂન બને છે.
પ્રશ્ન તે છે કે અત્યારે જ આ નિર્ણય શા માટે લેવાયો ? અને તે અંગે વડાપ્રધાન અને ગૃહપ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા.
બાબત ઉપરથી દેખાય છે કે તેટલી સીધી સાદી નથી. સૌથી પહેલાં તો તે દ્વારા જમ્મુ-કાશ્મીરની જનતાને સાંત્વન આપી તેમનું વલણ સરકારને અનુરૂપ કરવાનો પ્રયાસ છે. વાત સીધી અને સાદી છે, માત્ર સરકાર જ નહીં, જનતામાં પણ તે ગણતરી આવી રહી છે. કે પાકિસ્તાન ભારતની દિવાળી બગાડવા કોઈને કોઈ તોફાન કરશે જ. તેના જવાબરૂપે જબ્બર લશ્કરી કાર્યવાહી કરી કહેવાતું આઝાદ-કાશ્મીર લઈ લેવાની પણ ગણતરી હોઈ શકે. પરંતુ તે માટે જમ્મુ અને કાશ્મીરની જનતાનો સહૃદયી સહકાર અનિવાર્ય છે. તેથી જમ્મુકાશ્મીરને સંપૂર્ણ રાજ્ય દરજ્જો આપી તેના વતનીઓનું દિલ જીતવાની ગણતરીએ પણ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વિચાર્યું હશે.










