
– ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહની લોકસભામાં ઉદઘોષણા
– પાક. ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો પછી કેન્દ્રએ શસ્ત્ર વિરામ કેમ કર્યું, કોનું દબાણ હતું તેનો જવાબ આપો: વિપક્ષનો સવાલ
– પહલગામ હુમલાને 100 દિવસ વીતી ગયા, હુમલાખોર આતંકીઓ ક્યાં છે?: વિપક્ષનો સવાલ
– 22 એપ્રિલથી 17 જૂન સુધી મોદી-ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ નથી: જયશંકર
નવી દિલ્હી : વિપક્ષ ઘણા સમયથી આરોપ લગાવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દબાણને કારણે પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું, આ મુદ્દે હવે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં જવાબ આપ્યો છે.










