![]()
– ફાગણી પૂનમના મેળા પૂર્વે ભક્તોનું ઘોડાપૂર : રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
– ભક્તો ભગવાન સાથે હોળી રમ્યા, રણછોડજીના રંગે રંગાયું ડાકોર’ : વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડ સેફ્ટીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ ર્શન કર્યા : પ યાત્રીઓ માટે ઠેર-ઠેર ભંડારા, વિસામાની વ્યવસ્થા : જય રણછોડ’ના ના સાથે લાખો ભક્તોએ શીશ ઝુકાવ્યું
ડાકોર,નડિયાદ : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ડાકોરમાં ફાગણી પૂનમના મહાપર્વે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. રણછોડરાયજીના મંદિરમાં સેવકભાઈઓએ ઠાકોરજી સાથે નવરંગ ગુલાલથી હોળી રમી ભક્તોને ભક્તિના રંગે રંગ્યા હતા. પદયાત્રીઓના મનોરંજન માટે દિગ્ગજ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વહીવટી તંત્રની ફૂડ સેફ્ટીની સજ્જતા વચ્ચે લાખો ભક્તોએ ‘જય રણછોડ’ના નાદ સાથે ડાકોરમાં ધામા નાખ્યા છે.
રવિવારે રેન્જ આઈજી સાથે ખેડા જિલ્લા પોલીસ વડા પણ ડાકોર પહોંચ્યા હતા. તેમની સાથે ડીવાયએસપી, એલસીબી સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ પણ ડાકોરના ઠાકોરના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ અધિકારીઓએ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ડાકોરના ઠાકોરજી રવિવારે નવરંગે રંગાયા હતા. સવારે શણગાર ભોગ સમયે સેવકભાઈઓએ ભગવાન સાથે રંગોળી રમી હતી, જેના રંગે દર્શનાર્થીઓ પણ તરબોળ થયા હતા. રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને ખેડા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કલાકારોએ ‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે’ અને ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ જેવા ગીતોની પ્રસ્તુતિ કરી પદયાત્રીઓનો માર્ગનો થાક ઉતાર્યો હતો.
બીજી તરફ, અમદાવાદ અને મુંબઈથી આવતા પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. મુંબઈથી આવેલા એક નવયુવાને શ્રદ્ધાપૂર્વક ઘૂંટણિયે ચાલીને રણછોડરાયજીના ચરણે શીશ ઝુકાવ્યું હતું. જોકે, આ વર્ષે બોર્ડની પરીક્ષાઓને કારણે ગત વર્ષની સરખામણીએ ભીડમાં થોડો ઘટાડો જણાયો છે, તેમ છતાં રવિવાર સુધીમાં એક લાખથી વધુ ભક્તો દર્શન કરી ચૂક્યા છે. મંદિર કમિટીએ દર્શનના સમયમાં વધારો કરતા ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી રહ્યો છે. પદયાત્રીઓ માટે ઠેર-ઠેર ભંડારા અને વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રાધામમાં ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ફૂડ સેફ્ટી વિભાગ સતત સતર્ક રહ્યો છે. ૨૧થી ૨૭ ફેબુ્રઆરી દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રસાદની ૩૭ પેઢીઓમાં તપાસ કરી નમૂના લેવાયા હતા. આ ઉપરાંત, વિવિધ રૂટ પર ૬૦ જેટલી સેવા કેમ્પોની તપાસ કરી ૧૦,૦૦૦થી વધુ પદયાત્રીઓને ફૂડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા મંદિર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.










