
– તળાજા પોલીસ મથકમાં અલગ-અલગ બે ફરિયાદ નોંધાઈ
– શેત્રુંજી નદીના કિનારે આવેલી જમીન પર ગેરકાયદે કબ્જો કરનારા સામે લેન્ડગ્રેબિંગના અલગ-અલગ બે ગુના નોંધાયા
ભાવનગર : તળાજામાં શેત્રુંજી નદીના કિનારે ખેતી માટે આપેલી જમીન તથા તેની બાજુની જમીન પર ગેરકાયદે કબ્જો કરી પચાવી પાડનારા સાત શખ્સો સામે તળાજા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગની અલગ-અલગ બે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તળાજામાં દાત્રડ વાડી ખાતે રહેતા હરજીભાઈ ઓધાભાઈ ભુતે તળાજા પોલીસ મથકમાં વિનુ પરશોતમભાઈ કામળીયા (રહે. હાલ ભાવનગર, મુળ પાદરી(ગો), તા.










