![]()
મૃગીકુંડમાં સ્નાન વિવાદ મામલે વધુ એક ગુનો : દાખલ સ્થાનિક સાધુ-સંતો મૌન રહેતાં પોલીસે ભાલકા તીર્થ નજીકના આશ્રમના મહંતની ફરિયાદ લેવા માટે લાંબું થવું પડયું
જૂનાગઢ, : મહાશિવરાત્રિ મેળામાં રવેડી બાદ વિવાદાસ્પદ કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતાં વિવાદ થયો હતો. તેણે પોલીસ સાથે ગેરવર્તન પણ કર્યું હતું, જે મામલે ગઈકાલે પોલીસે કીત પટેલ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો પરંતુ મૃગીકુંડમાં સ્નાન મુદ્દે સ્થાનિક સાધુઓએ મૌન ધારણ કરી લીધું હતું. આ સંજોગોમાં, પ્રભાસ પાટણ નજીક આવેલા ભાલકાના મહંત ફરિયાદ કરવા તૈયાર થતાં પોલીસે ફરિયાદ લેવા ભાલકા સુધી લાબું થવું પડયું હતું. મૃગીકુંડમાં સ્નાન કરી આસ્થાને ઠેંસ પહોંચાડવા મામલે મહંતે કીત પટેલ સહિતનાઓ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃગીકુંડમાં સ્નાન બાબતે કોઈ સાધુ ફરિયાદ કરવા સામે આવ્યા ન હતા. સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે ધામક લાગણી દુભાઈ હોવાથી વેરાવળ તાલુકાના ભાલકાતીર્થની બાજુમાં આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસબાપુએ ફરિયાદ કરવા તૈયાર થયા હતા. ભવનાથ પોલીસે ભાલકા નજીક આવેલા આશ્રમ ખાતે બજરંગદાસબાપુની ફરિયાદ લેવા લાબું થવું પડયું હતું.
મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ કીત પટેલ સહિતનાઓ સામે પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરી ધામક આસ્થાને ઠેસ પહોંચાડયાની ફરિયાદ કરી છે, જેના આધારે પોલીસે બીએનએસ કલમ ન 298, 299 અને 196 એ અને બી મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ડીવાયએસપીએ જણાવ્યું હતુ કે ‘વિડીયોમાં કીર્તિ પટેલ અને અન્ય લોકો પણ જોવા મળે છે. કીર્તિ પટેલને જોયે ઓળખતાં હોવાથી તેના નામજોગ અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.’ હવે વિવાદાસ્પદ કીર્તિ ટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે ત્યારે પોલીસ ક્યારે કીત પટેલને પકડી શકે છે એ જોવું રહ્યું.










