અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં રફતારનો કહેર વધી રહ્યો છે, જેમાં માતેલા સાંઢની જેમ બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. નારણપુરા સરદાર પટેલ બાવલા નજીક લાડલી શો રૃમ સામે ટ્રકની ટક્કરથી એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું. મૃતક યુવક કેમ્પ મંદિરથી દર્શન કરીને ઘરે જતો હતો ત્યારે અકસ્માત થયો હતો.જ્યારે મેમનગર વાળીનાથ ચોક પાસે દંપતિ સગાની ખબર કાઢીને જતા હતા અને ડમ્પર નીચે કચડાતાં પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










