![]()
Pune Land Case: પૂણેના મુંધવામાં 300 એકરની સરકારી જમીનની ખરીદીના મામલે ખળભળાટ મચી ગયો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દીકરા પાર્થ પ્રશ્નોના ઘેરામાં છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જોકે, આ મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ક્યાંય પાર્થ પવારનું નામ જ નથી.
આ પણ વાંચોઃ પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…’ NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી
ફડણવીસની સ્પષ્ટતા
ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, જે લોકોને જાણ નથી કે, FIR શું હોય છે તે ફક્ત નિરાધાર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે FIR ફાઇલ થઈ ગઈ તો હવે એ સ્પષ્ટ છે કે, બધા લોકોના નામ બહાર આવશે. આ કિસ્સામાં જમીન ખરીદનાર કંપની અને તેના જવાબદાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
વિપક્ષનો આરોપ
શિવસેના અને કોંગ્રેસનું કહેવું છે કે, અમાડિયા એન્ટરપ્રાઇસ એલએલપી કંપનીને 1800 કરોડની જમીન ફક્ત 300 કરોડમાં વેચી દેવામાં આવી. આ સિવાય જમીન વેચવા માટે સ્ટેમ્પ ડ્યૂટી પણ વસુલવામાં નહતી આવી. આ જમીનની સ્ટેમ્પ ડ્યુટી 21 કરોડ રૂપિયાની હોવી જોઈતી હતી. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારે પણ અમાડિયા એન્ટરપ્રાઇસ એલએલપીમાં ભાગીદાર હતા.
આ પણ વાંચોઃ પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ
મુંધવામાં ભૂમિના વેચાણનું કાર્ય 20 મેના દિવસે કરવામાં આવ્યું હતું અને છાવા કામગાર યુનિયનના 60 વર્ષીય સંસ્થાપક-અધ્યક્ષ દિનકર કોટકરે 5 જૂને આઇજીઆર કાર્યાલયને પત્ર પણ લખ્યો હતો કે, 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી માફ કરી દેવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ છૂટ ખોટી રીતે આપવામાં આવી હતી. આ મામલે ફરિયાદી સંયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર (જેડીઆર) સંતોષ હિંગાનેએ FIRમાં કોટકર પાસેથી એક પત્ર મળ્યો હોવાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, ફરિયાદની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુંધવા જમીન માટે વેચાણ દસ્તાવેજ સત્તાવાર રેકોર્ડમાં ફેરફાર કરીને કરવામાં આવ્યો હતો.
FIRમાં કોનું નામ?
FIRમાં પાર્થ પવારના બિઝનેસ પાર્ટનર દિગ્વિજય પાટિલનું નામ છે, જેની પાસે કંપનીમાં માત્ર 1% હિસ્સો છે. જ્યારે પાર્થ પાસે 99% હિસ્સો છે. તેમના પર આ ગેરકાયદે કરારને સરળ બનાવવાનો આરોપ છે. આ ઉપરાંત, જમીનના પાવર ઓફ એટર્ની ધારક શીતલ દેજવાનીનું નામ પણ FIRમાં સામેલ છે. તેમજ, 272 અન્ય લોકો અને બે સસ્પેન્ડ કરાયેલા મહેસૂલ અધિકારીઓના નામ પણ FIRમાં છે. સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવ્યા વિના વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવાનો આરોપ છે. આ ઉપરાંત, પૂણે શહેરના મામલતદાર સૂર્યકાંત યેવલે પર તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે જણાવ્યું હતું કે કરાર કરનારા અને નોંધણી કાગળો પર સહી કરનારાઓના નામ FIRમાં નોંધાયેલા છે. પાર્થને ખબર નહોતી કે જમીન ગેરકાયદે વેચાઈ રહી છે. આ જમીનનો કુલ વિસ્તાર 40 એકર છે, જે 272 નાના પ્લોટમાં વહેંચાયેલો છે. આ જમીન મહાર સમુદાયને ફાળવવામાં આવી હતી. આઝાદી પછી, જમીન સરકારના નિયંત્રણ હેઠળ આવી. તેથી, સરકારી પરવાનગી વિના તેને ખરીદી કે વેચી શકાતી નહોતી.










