
– અગાઉ યુવરાજ, હરભજન સિંહ અને રૈનાની પૂછપરછ થઈ હતી
– ધવન સામે બેટિંગ એપના માધ્યમથી મની લોન્ડરિંગનો આરોપ : ઈડીએ ક્રિકેટરને એપ સાથે કેવી રીતે જોડાયો તેની સ્પષ્ટતા પૂછી
નવી દિલ્હી : ઓનલાઈન બેટિંગ એપના કેસમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઈડીએ પૂછપરછ કરી હતી. વનએક્સબેટ નામની બેટિંગ એપનો પ્રચાર કરવા બદલ ઈડીએ આ પૂર્વ ક્રિકેટરને મની લોન્ડરિંગની આશંકાથી સવાલો કર્યા હતા. શિખર ધવને સોશિયલ મીડિયામાં આ એપનો પ્રચાર કર્યો હતો. આ એપના પ્રમોશનમાં ક્રિકેટરની શું ભૂમિકા હતી એ જાણવા માટે ઈડીએ પૂર્વ ક્રિકેટરને દિલ્હી ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરી હતી.










