
West Bengal BJP : પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં ‘જૂના વિરુદ્ધ નવા’ નેતાઓ વચ્ચેનો આંતરિક સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના બીજા જ દિવસે, રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પોતાની જ પાર્ટીની રણનીતિઓ અને તાજેતરમાં પક્ષમાં જોડાયેલા નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. દિલીપ ઘોષે ગુરુવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે માત્ર ધાર્મિક મુદ્દાઓના આધારે ચૂંટણી જીતવી શક્ય નથી.
અયોધ્યાનું ઉદાહરણ આપ્યું
તેમણે 2024ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું, “અયોધ્યામાં રામ મંદિર બનવા છતાં ભાજપ ફૈઝાબાદ બેઠક હારી ગયું.










