
Fact Check: સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટ બંધ થવાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી દેશે. જોકે, હવે આ મામલે સરકારે સ્પષ્ટતા આપી છે. સરકારી એજન્સી PIBએ X પર પોતાની એક પોસ્ટમાં આ મેસેજનું ખંડન કર્યું છે.
PIBએ પોતાનો ફેક્ટ-ચેક રિપોર્ટ જારી કરતા કહ્યું કે, ‘ભારતીય રિઝર્વ બેંક (RBI)એ માર્ચ 2026 સુધીમાં 500ની નોટો બંધ કરવા અંગે કોઈ એલાન નથી કર્યું.










