અમદાવાદ, સોમવાર
બિલ્ડર હિંમતભાઇ રૃડાણીની હત્યા કર્યા બાદ બ્રિજ નીચે કાર પાર્ક કરીને લાખનો વિડિયો બનાવીને આરોપી મનસુખને વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. બિલ્ડરની હત્યા કરવા માટે મનસુખ લાખાણીએ જ સિક્યુરિટીગાર્ડને કરોડ અને મકાન આપવાનું નક્કી કરાયું હતું. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હોવાનું એસીપી, કુનાલ દેસાઇએ જણાવ્યું હતું.
અમદાવાદ બહાર જવાના હતા, પોલીસ ચેકિંગમાં પકડાવાના ડરથી ઓઢવ બ્રિજ નીચે કાર પાર્ક કરી
૪૫ કરોડ રૃપિયાના વિવાદમાં પૂર્વ ભાગીદાર બિલ્ડર મનસુખ લાખાણીએ સોપારી આપી હતી. જેને લઇને આરોપીઓએ છરીના ઘા ઝીંકીને નિકોલમાં બિલ્ડર હિમ્મતભાઈ રૃડાણીની હત્યા કરાવી હતી. પોલીસે આરોપીઓને પકડી લીધા હતા અને પૂછપરછમાં બિલ્ડરની હત્યા કરવા માટે આરોપી મનસુખ લાખાણીએ એક કરોડ અને મકાન આપવાની વાત કરી હતી.
જેને લઇને આરોપીઓ બિલ્ડરની હત્યા કર્યા બાદ અમદાવાદ છોડીને જવાના હતા પરંતુ પોલીસ ચેકિંગમાં વાહનના કાગળો તથા ડેકીનું ચેકિંગ થાય તો પકડાઇ જવાના ડરથી ગભરાઇ ગયા હતા અને કારને ઓઢવમાં વિરાટનગર બ્રીજની નીચે પાર્ક કર્યા પછી આરોપી મનસુખને લાશનો વિડિયો બનાવીને મોકલી આપ્યો હતો, જો કે તેણે કોઇ જવાબ આપ્યો ન હતો.










