![]()
Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા વગર એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરાતા સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વહીવટમાં ગેરરીતિના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એજીએમમાં સવાલોના જવાબ ન મળતાં અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવાતા ભારે નારાજગી દર્શાવતી હતી. એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીન અમીને નિવેદનમાં કહ્યું હતું કે, બહુમતીથી તમામ એજન્ડા આજે મંજૂર કરાયા છે. કોટંબી ક્રિકેટ મેદાનમાં 342 કરોડનો ખર્ચ નથી કર્યો, માત્ર 204 કરોડનો ખર્ચ કર્યો છે. તેની સામે સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેંકર અને જતીન વકીલનું કહેવું હતું કે, આજની એજીએમ ગેરબંધારણીય, ચૂંટણી જાહેર નથી કરી. 3/4 મેજોરિટી ના હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને અમે પડકારીશું. 39 પ્રશ્નોમાંથી માત્ર 4 ના જવાબ આપ્યા છે. 10 લાખથી વધુના ખર્ચ આજદિન સુધી વેબસાઈટ પર મૂક્યા નથી.










