
Turkey and Azerbaijan Trip Cancellations: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે તૂર્કીયે અને અઝરબૈજાન સાથેના સંબંધો તોડી નાખવાનું શરૂ કરી દીધું છે, જે ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. જે ભારતીયોએ આ દેશોની મુસાફરી બુક કરાવી હતી તેમણે પોતાની ટિકિટ રદ કરવાનું શરૂ કરી દીધું છે.
એક રિપોર્ટ અનુસાર, ‘છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય પ્રવાસીઓએ આ દેશો પ્રત્યે ખૂબ જ ઓછો ઉત્સાહ દર્શાવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન અઝરબૈજાન અને તૂર્કીયેમાં ટિકિટ બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ટિકિટ રદ કરવામાં 250 ટકાનો વધારો થયો છે. આપણા દેશ સાથે એકતામાં અને આપણા સશસ્ત્ર દળો પ્રત્યેના આદરમાં અમે આ ભાવનાને મજબૂત સમર્થન આપીએ છીએ અને દરેકને અઝરબૈજાન અને તૂર્કીયેની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપીએ છીએ.










