![]()
– ઉપરવાસમાં સારો વરસાદ પડતા પાણીની આવક યથાવત
– બોરતળાવની સપાટી 40.10 ફૂટે પહોંચી, પોણા બે ફૂટ પાણીની આવક શરૂ
ભાવનગર : ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે બોરતળાવ (ગૌરીશંકર તળાવ)માં પાણીની સારી આવક થઈ છે અને બોરતળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
શહેર અને જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તળાવ અને ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. શહેરના બોરતળાવના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન સારો વરસાદ પડયો છે તેથી બોરતળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં બોરતળાવની સપાટી સાડા પ ફૂટ વધી છે, જેમાં છેલ્લા બે દિવસમાં આશરે ૧ર ઇંચ જેટલુ પાણી બોરતળાવમાં આવ્યુ છે. આજે શુક્રવારે પણ બોરતળાવમાં પોણા બે ફૂટ પાણીની આવક શરૂ છે તેથી હજુ આગામી દિવસોમાં સપાટી વધવાની શકયતા છે.
બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે અને હાલ ૪૦.૧૦ ફૂટે સપાટીએ પાણી છે તેથી હજુ બોરતળાવ આશરે ર ફૂટ ખાલી છે. આગામી દિવસોમાં હજુ સારો વરસાદ આવશે તો બોરતળાવ છલકાશે તેમ જણાય રહ્યુ છે.
ખોડીયાર તળાવની સપાટી 25.8 ફૂટે પહોંચી
ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવની સપાટીમાં પણ વરસાદી પાણીની ધીમી આવક શરૂ હતી, જેના પગલે તળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૬ ફૂટ છે અને હાલ રપ.૮ ફૂટ સપાટી પહોંચી છે.










