
Operation Sindoor : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતની સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકે સ્થિત આતંકવાદીઓના 9 ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા છે. ભારતની આ એરસ્ટ્રાઈકને લઈને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારતની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
ભારતની કાર્યવાહી યોગ્ય : ઋષિ સુનક
ઋષિ સુનકે (Rishi Sunak) આજે (7 મે) ઓપરેશન સિંદૂર મામલે ભારતનું સમર્થન કર્યું છે અને આતંકી બેઝ કેમ્પો પર કરાયેલા હુમલાને યોગ્ય ઠેરવ્યા છે.










