
Uttar Pradesh Political News : ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ડૉ. સંજય નિષાદે ભાજપ પર સીધો પ્રહાર કરતાં ગઠબંધન તોડી નાખવાની ચીમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો ભાજપને લાગે કે નાના સાથી પક્ષોથી કોઈ ફાયદો નથી, તો તેઓ ગઠબંધન તોડી શકે છે. નિષાદે આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.










