
India-Russia Relations : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત બંને રાષ્ટ્ર વચ્ચેના દાયકાઓ જૂના સહયોગ તરફ ઈશારો કરે છે. ભારત-રશિયા વચ્ચેની મિત્રતાનો એક નિર્ણાયક અધ્યાય 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ રહ્યું છે, જ્યારે તત્કાલીન સોવિયેત સંઘે ભારતને પડખે ઊભા રહીને એક નહીં બબ્બે નિર્ણાયક મોરચા સંભાળ્યા હતા. પરિણામે ભારતે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશનું સર્જન કરવામાં સફળતા મેળવી હતી. ચાલો જાણીએ કે ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, ચીન, અમેરિકા, બ્રિટન અને સોવિયેત સંઘને પણ સાંકળતા એ કાળખંડમાં યુદ્ધની ચોપાટ કેવી બિછાવાઈ હતી.










