
Air Pollution India: લગભગ પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. યુકે સ્થિત ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાન સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો શ્વસનતંત્ર અને હૃદય રોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી શકે છે.
શ્વસન રોગોમાં ચિંતાજનક ઉછાળો
લંડન અને લિવરપૂલમાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ તબીબોના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના શહેરોમાં શ્વસન સંબંધી બીમારીઓ રોગચાળાની જેમ વકરી રહી છે.










