
Indian Aviation News : ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિમાનોની આયાતના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમો હેઠળ, હવે એરલાઈન્સને 20 વર્ષ સુધીના જૂના પેસેન્જર વિમાનોની આયાત કરવાની મંજૂરી મળશે, જ્યારે વર્તમાન નિયમ મુજબ આ મર્યાદા 18 વર્ષની છે. આ ઉપરાંત ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનોની આયાત મર્યાદા પણ 20 વર્ષથી વધારીને 25 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.
આયાત કરેલા વિમાનો માત્ર 65 ટકા વપરાયેલા હોવા જોઈએ










