![]()
– મિલકત વેરો નહીં ભરનાર બાકીદારો સામે મહાપાલિકા આજથી કડક કાર્યવાહી કરશે
– અત્યાર સુધીમાં 3.09 લાખમાંથી 1.82 લાખ મિલકત ધારકોએ કુલ રૂા. 140.16 કરોડનો વેરો ભર્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મિલકત વેરો વસુલવા માટે દર વર્ષે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આવતીકાલ સોમવારથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં મહાપાલિકાના જુદા જુદા વિભાગના કર્મચારીઓ જોડાશે અને બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે.
મહાનગરપાલિકામાં આવતીકાલ તા. ૧૦ નવેમ્બર-ર૦રપ થી મિલકત વેરો વસુલવા માટે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંત સુધી કામગીરી કરાશે. મહાપાલિકાના ચોપડે કુલ ૩.૦૯ લાખ મિલકત ધારક નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧.૮ર લાખ મિલકત ધારકોએ ૧૪૦.૧૬ કરોડનો વેરો ભર્યો છે, જયારે હજુ ૧.ર૭ લાખ મિલકત ધારકોએ કોઈ કારણસર વેરો ભર્યો નથી તેથી મહાપાલિકા દ્વારા આ બાકીદારો પાસેથી મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ જપ્તી ઝુંબેશમાં મહાપાલિકાના ઘરવેરા વિભાગ સહિતના ૩પ વિભાગના પ૦૦ થી વધુ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે.
મહાપાલિકાનો મિલકત વેરો ભરી દેશે તેની મિલકતને સીલ મારવામાં આવશે નહીં, જયારે મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવામાં આવશે. આ ઉપરાંત રહેણાંકીય મિલકતના પાણી કનેકશન પણ કાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા એપ્રિલ અને મે માસમાં મિલકત ધારકો માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે, જેમાં ઘણા કરદાતાઓ વેરો ભરી વળતર મેળવતા હોય છે પરંતુ ઘણા કરદાતાઓ મિલકતો વેરો ભરતા નથી તેથી તેઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના સુપ્રિ. વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે.
સરકારી સહિતની મિલકતનો રૂા. 442 કરોડનો વેરો બાકી
મિલકત મિલકતની સંખ્યા બાકી વેરો
|
સરકારી |
ર૯૭ર |
૧૧પ |
|
ખુલ્લા |
ર૩,૩૪૬ |
૩૭ |
|
રહેણાંકીય |
૮૦,૬૭૪ |
૧૯૬ |
|
કોમર્શિયલ |
રર,૧૮૭ |
૯૪ |
|
કુલ |
|
૪૪ર |










