
ઘાટના વિકાસના કામ ચાલી રહ્યા છે
કોઇ મુર્તી તોડવામાં નથી આવી, સંજયસિંહ સહિતનાએ ફેક વીડિયો શેર કર્યો હોવાનો ફરિયાદમાં દાવો
વારાણસી: ધર્મ નગરી કાશી મંદિરોનું શહેર ગણવામાં આવે છે. તાજેતરમાં અહીંના પ્રખ્યાત મણિકર્ણિકા ઘાટના રિડેવલપમેન્ટ માટે પ્રશાસન દ્વારા ચલાવાઇ રહેલા જેસીબીથી કેટલીક મૂર્તીઓ અને મંદિર તોડાયા હોવાના દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં ખંડિત મૂર્તીઓ અને તેના પર ચાલતા જેસીબી દેખાડાયા હતા. જોકે આ વીડિયો ફેક હોવાના દાવા સાથે વારાણસી પોલીસે આપના નેતા સંજયસિંહ, પપ્પુ યાદવ સહિતના સામે ફરિયાદો દાખલ કરી છે.










