
– વડાપ્રધાન મોદી મિઝોરમ, મણિપુર, આસામના પ્રવાસે
– મૈતેઈ-કુકી સમુદાયો સદ્ભાવનાનો સેતુ બનાવે: વડાપ્રધાન
ચુરાચાંદપુર/ઈમ્ફાલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે ૨૦૨૩માં મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી તે ચુરાચાંદપુરમાં શનિવારે પહોંચ્યા હતા. તેમણે અઢી વર્ષથી હિંસાગ્રસ્ત મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોને શાંતિ અને સામંજસ્યનો રસ્તો અપનાવવા ભાવુક અપીલ કરી હતી. તેમણે હિંસાગ્રસ્ત મણિપુરને શાંતિ, સમૃદ્ધિનું પ્રતીક બનાવવા હાકલ કરી હતી અને કહ્યું કે, કેન્દ્ર સરકાર મણિપુરના લોકો સાથે મજબૂતીથી ઊભી છે. આ સાથે પીએમ મોદીએ મિઝોરમ અને મણિપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.










