![]()
માંડલ – આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે અષાઢ માસની અમાસથી માંડલ-ચુંવાળ પંથકની બહેનોએ દશામાના વ્રતનો પણ પ્રારંભ કર્યોે છે. દશામાંનો મહિમા ખુબજ અલૌકિક છે એમ કહેવાય કે, આ વ્રત કરવાથી પરિવારમાં દુખ, દારિદ્રતા દુર થાય છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની વર્ષા થાય છે. માંડલ, દેત્રોજ અને પંથકના અનેક ગામોમાં બહેનોએ દશામાં વ્રત ભારે આનંદ-ઉલ્લાસથી શરૃ કર્યા હતાં. બહેનોએ દિવાસાના દિને દશામાંની મુતની એક બાજોઠ ઉપર ઘરમાં સ્થાપના કરી હતી તેમજ માતાજીનું પુજન, વાર્તા, કથા તેમજ ભજન આરતી પણ થયાં હતાં. નગરના મંદિરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ દશામાના મંદિરોમાં સવારથી જ માતા-બહેનો મોટી સંખ્યામાં ઉમટી હતી.










