અમદાવાદ,મંગળવાર,7 ઓકટોબર,2025
અમદાવાદમાં એક સપ્તાહમાં એસ.વી.પી. ઉપરાંત પાલડીમા આવેલી
વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.આ ઘટના પછી ફાયર વિભાગ
દ્વારા શહેરમા આવેલી હોસ્પિટલોને સમયસર ફાયર એન.ઓ.સી.રીન્યુ કરાવવા તાકીદ કરી
છે.વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૩૦ હોસ્પિટલના ઈલેકટ્રિક વપરાશની તપાસ કરી હોવાના
દાવા સાથે ફાયર વિભાગે આ હોસ્પિટલોને કલીનચીટ પણ આપી છે.
ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ૨૩૦ હોસ્પિટલોમાં ઈલેકટ્રિક
બીલના આધારે ઈલેકટ્રિક વપરાશની ચકાસણી કરાઈ હતી.કોઈ હોસ્પિટલ દ્વારા તેમને આપવામા
આવેલી મંજૂરીથી વધુ વીજ વપરાશ કરવામા આવ્યો નહોતો. શહેરની કઈ-કઈ હોસ્પિટલોમા કયારે
તપાસ કરવામા આવી એ અંગે ફાયર વિભાગ તરફથી કોઈ વિગત જાહેર કરાઈ નથી.આગ કે અન્ય ઘટના
બનતી ટાળવા કોર્પોરેશન હદમા આવેલી હોસ્પિટલોમા ઈન્સ્ટોલ કરવામા આવેલી ફાયર સિસ્ટમ
હંમેશા ચાલુ રાખવા ઉપરાંત મેળવવામા આવેલ ફાયર સેફટી સર્ટિફિકેટ નિયમાનુસાર કરાવવા
તાકીદ કરાઈ છે.










