![]()
અમદાવાદ,મંગળવાર
રાણીપમાં બબોલનગર ચાર રસ્તા પાસે વિશ્વકર્મા સોસાયટી પાસે ગઇકાલે રાતે પ્રેમ પ્રકરણમાં તકરાર થતાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો ઉશ્કેરાયેલા ટોળાએ રોડ ઉપર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ રોડ ઉપર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી, રાણીપ પોલીસે પાંચ લોકો તથા સામે પક્ષે પણ રાયોટિંગની સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં રાણીપમાં રહેતી પટણી સમાજની સગીરાને ગમન નામનો યુવક હોરાન પરેશાન કરતો હતો. જેને લઇને સગીરના પિતા યુવકના ઘરે રજૂઆત કરવા માટે ગયા હતા. તેઆએ તેમના પુત્રને ઠપકો આપવાની વાત કરીને ઉશ્કેરાઇને હવે પછી ઘરે આવતા નહી કહીને તકરાર કરી હતી. જેને લઇને પાંચ શખ્સોએ સગીરાના પિતા સહિત પરિવારના સભ્યોને દંડા અને લોખંડના બાટથી માર માર્યા બાદ પથ્થરમારો કરીને લોહી લુહાણ કર્યા હતા. આ બનાવ અંગે રાણીપ પોલીસે દલાજી મારવાડી સહિત પાંચ લોકો તથા સામે પક્ષે પણ રાયોટિંગની સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










