![]()
Vadodara : વડોદરાના સયાજીપુરામાં યોગીરાજહબની પાસે નીલકંઠ હબમાં રહેતા અમીશાબેન પ્રવીણભાઈ બરકાલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જણાવ્યું છે કે હું મારા પિયર બનતેશ્વર ખાતે નીલકંઠ પાર્કમાં રહેવા આવી છું. મારા પિતાજીના મકાનની બાજુમાં રહેતા પ્રદીપાબેન તેમના પતિ મારુતિભાઈએ શરૂ કર્યું હતું.
કોમન દીવાલ બાબતે વિવાદ થતા તેઓએ કરેલું ચણતર અમે હટાવી દઈ ઈંટો તેમના ધાબા પર મૂકી હતી. તે બાબતે તેઓએ ઝઘડો કરી મારા પિતાજી સાથે ઝપાઝપી કરી હતી અને ગાળો બોલ્યા હતા. તેમણે ઈંટો અને પથ્થરો છૂટા ફેંકી ઘરના બારીના અને અગાસીના કાચ પણ તોડી નાખ્યા હતા. જ્યારે કામા પક્ષે પ્રદીપા બેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારું ચણતર તોડી નાખી નુકસાન કરી અમારી સાથે ઝઘડો કરી જપાજપી કરી હતી.










