![]()
SIR Draft List: ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તેમજ મધ્ય પ્રદેશના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આશરે કુલ 95 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ BMC ચૂંટણીમાં શાખ બચાવવા ઠાકરે બંધુએ હાથ મિલાવ્યાં, NDA નું વધશે ટેન્શન!
ક્યાં કેટલા નામ મતદાર યાદીમાંથી થયા દૂર?
અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ 3.10 લાખ મતદારોમાંથી 64,000 નામ ડ્રાફ્ટ યાદીથી બહાર કરી દેવામાં આવ્યા છે. કેરળમાં 2.78 કરોડ મતદારોમાંથી 24.08 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં 2.12 કરોડ મતદારોમાંથી 27.34 લાખ નામ ડ્રાફ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જોકે, મધ્ય પ્રદેશમાં 5.74 કરોડ મતદારોમાંથી 42.74 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. આ નામ મુખ્યરૂપે મૃતક મતદારો, સ્થળાંતરિત થઈ ચૂકેલા અથવા ગેરહાજર મતદારો તેમજ ડુપ્લીકેટ નામ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા છે.
ક્યાં સુધી દાખલ કરી શકાશે વાંધા?
ચૂંટણી પંચનું કહેવું છે કે, આ પ્રક્રિયા મતદાર યાદીને સાફ અને અદ્યતન બનાવવા માટે કરવામાં આવી રહી છે. જે મતદારોનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવે છે, તે પુનઃસામેલ કરવા માટે અરજી કરી શકે છે. દાવા અને વાંધા માટેનો સમયગાળો 23 ડિસેમ્બર, 2025થી 22 જાન્યુઆરી, 2026 સુધી રહેશે. મતદાર નોંધણી અધિકારી અરજી પર અંતિમ નિર્ણય લેશે. સંશોધન અને વાંધાની પ્રક્રિયા પૂરી થયા બાદ અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026ના દિવસે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી
ડ્રાફ્ટ મતદાર યાદીમાં કેવી રીતે ચેક કરવું નામ?
ડ્રાફ્ટ મતદાર યાદી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, ચૂંટણી પંચના વોટર પોર્ટલ તથા ઈસીઆઇએનટી એપ પર ઉપલબ્ધ છે. મતદારો પોતાનું નામ ઓનલાઇન તપાસી શકે છે અને જરૂર પડ્યે ફરિયાદ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચે તમામ યોગ્ય મતદારોને અપીલ કરી છે કે, તેઓ પરિસ્થિતિ તપાસ અને સમય પર દાવો દાખલ કરે જેથી કોઈ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય.










