
– સુરેન્દ્રનગર દુધરેજ રોડ પરના
– ગટર લાઇન પર અવરજવર માટે મૂકેલા પથ્થર હટાવી લેતાં દુકાનદારોને ધંધામાં માઠી અસર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા દુધરેજ રોડ પર આવેલા વોરાના ડેલા પાસે આયોજન વગર કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહિશો સહિત દુકાનદારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
દુધરેજ રોડ પર આવેલા વોરાના ડેલા સહિત આસપાસની સોસાયટીમાં અનેક પરિવારો વસવાટ કરે છે તેમજ અનેક દુકાનો પણ વર્ષોથી ધમધમી રહી છે. તાજેતરમાં મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટરની કામગીરી હાથ ધરવામાં આવતા તેના ખોદકામ દરમ્યાન ગટરો પરથી રહીશો અને ગ્રાહકોની અવરજવર કરવા માટે મુકેલા પથ્થરો હટાવી લેતા આ વિસ્તારના રહિશોને પોતાના ઘરે અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે તેમજ દુકાનદારોને ત્યાં ગ્રાહક પણ સરળતાથી આવી શકતા નથી.










