
– વિપક્ષ સંસદમાં નારા ન લગાવે, નીતિઓ પર ચર્ચા કરે
– ડ્રામા નહીં ડિલિવરી પર ધ્યાન આપો, બિહાર ચૂંટણીનો પરાજય ભૂલી જનતાના કામ કરો : પીએમ મોદીનો ટોણો
– સંસદ પરાજયનો બળાપો કાઢવાનું સ્થળ કે વિજયનો ઘમંડ બતાવવાનું મેદાન ના બનવું જોઈએ
નવી દિલ્હી : લોકસભાના શિયાનુ સત્રનો પ્રથમ દિવસ વિપક્ષના વિરોધના વાવાઝોડાને ભેટ ચઢી ગયો હતો. તેના કારણે ૧૫ દિવસના સત્રનો પ્રથમ દિવસ બરબાદ થઈ ગયો હતો. વિપક્ષે મતદારયાદી સુધારણા, બીએલઓના મોત અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવાની માંગ કરતા સંસદ ગજવી હતી.










