
– 3.7 એકર વિસ્તારમાં ફેલાયેલો બંગલો દેશના પ્રથમ વડાપ્રધાન નેહરૂનું નિવાસસ્થાન હતો
– રાજસ્થાનના શાહી પરિવાર પાસેથી 1100 કરોડ રૂપિયામાં એક બિઝનેસમેને બંગલો ખરીદી લીધો
નવી દિલ્હી : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનું સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં મોતીલાલ નેહરૂ માર્ગ પર આવેલો ૩.૭ એકરમાં પથરાયેલો બંગલો દેશના સૌથી મોંઘા રિઅલ એસ્ટેટ સોદામાં ૧૧૦૦ કરોડ રૂપિયામાં વેચાઇ જશે. વર્તમાન માલિકો રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી બિઝનેસમેન દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે.










