
આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ
ઊંચા પર્વતોથી લઈને સમુદ્ર તટ સુધી આકસ્મિક પૂરની સંભાવના ધરાવતા પ્રદેશોની સંખ્યા વધી
નવી દિલ્હી: એનપીજે નેચરલ હેઝાર્ડ્સમાં પ્રકાશિત આઈઆઈટી ગાંધીનગર દ્વારા તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં ભારતભરમાં અચાનક પૂરના વધતા જોખમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં આવી આપત્તિને કુદરતી અને વિશિષ્ટ ભૂસ્તરીય રચના તેમજ આબોહવા પરિવર્તનની તીવ્રતા સાથે સાંકળવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગમાંથી તાપમાનના રેકોર્ડ અને ઈમરજન્સી ઈવેન્ટ્સ ડાટાબેસ સહિત ૧૯૮૧થી ૨૦૨૦ સુધીના ડાટાનો ઉપયોગ કરીને સંશોધકોએ સમગ્ર દેશમાં અચાનક પૂરના સંભવિત સ્થળોની ઓળખ કરી છે.










