![]()
Akhilesh Yadav Speaks On Karni Sena : ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાના દેખાવો અને સમાજવાદી પાર્ટીના નેતાઓને ધમકી મળ્યા બાદ પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કરણી સેનાએ જવાબ આપ્યો છે. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) પર નિશાન સાધવાની સાથે મુર્શિદાબાદમાં થયેલી હિંસા (Murshidabad Violence) અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
અમે ડરવાના નથી : અખિલેશ
અખિલેશે કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ ઝીરો છે. ઉદ્યોગપતિઓ ડરેલા છે, તેઓ સરકારને સવાલ કરી શકતા નથી. મુખ્યમંત્રીએ રાજ્યને વન ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવાની વાત કરી છે, તે માત્ર એક સપનું છે. જે લોકો ડરપોક છે, તેઓ એનએસજી રાખે છે. એનએસજી હટાવવાથી મને કોઈ ફરક પડતો નથી. અમે લોકો મહારાજાઓના વિરુદ્ધમાં નથી. રાજાની કોઈ જાતિ હોતી નથી. અમે આગ્રા જઈશું. અમે ડરવાના નથી.
આ પણ વાંચો : ‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઈલ
અખિલેશે યોગી સરકાર પર કર્યા પ્રહાર
ઉત્તર પ્રદેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અંગે તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાગત સુવિધાઓ ખરાબ હાલતમાં છે. હૉસ્પિટલમાં આગ લાગી છે. જો ઝાંસીની ઘટના બાદ સાવચેતી રાખી હોત તો કદાચ ગઈકાલની ઘટના ન બની હોત.’ તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ‘શું ભ્રષ્ટાચાર છુપાવવા માટે આગ લગાવવામાં આવી છે કારણ કે અમને માહિતી મળી છે કે, છેલ્લા સાત-આઠ વર્ષથી સસ્તી અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે.’
મુર્શિદાબાદની હિંસા અંગે અખિલેશે શું કહ્યું?
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને 24 પરગણા જિલ્લામાં હિંસા થયા બાદ યુપીના મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ(Congress)ના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અખિલેશે કહ્યું કે, ‘અમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee) સાથે છીએ. ભાજપ બંગાળમાં હિંસા કરાવી રહી છે. અમારી પાર્ટી મમતાને સમર્થન આપશે.
આ પણ વાંચો : દેશભરમાંથી હટાવાશે ટોલ પ્લાઝા, નીતિન ગડકરીની જાહેરાત, 15 દિવસમાં નવી પોલિસી કરાશે જાહેર










