Maharashtra Political News : મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી NCP(SP) અને અજિત પવારની પાર્ટી NCP એક થવાની અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી અનેક કાર્યક્રમમાં કાકા-ભત્રીજા સાથે જોવા મળ્યા છે, ત્યારે શરદ પવારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હોય તેવું નિવેદન આપ્યું છે. તેમણે પિંપરી ચિંચવડમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે ભાજપમાં ગયેલા લોકોને તકવાદી ગણાવ્યા છે અને આવા લોકો માટે એનસીપીમાં કોઈ જગ્યા ન હોવાનું પણ સ્પષ્ટ કહ્યું છે.
કાર્યકર્તાઓને ચૂંટણીઓ માટે તૈયાર રહેવા આહ્વાન