મોડાસા નગરના મુખ્ય માર્ગો પર અને વિસ્તારોમાં રખડતા પશુઓ અને આખલાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠેલ છે ત્યારે મોડાસા નગરમાં બપોરના સુમારે મેઘરજ રોડ ઉપર બે આખલાઓ રૂપનારાયણ ઝેરોક્ષ આગળ બાખડતા રાહદારીઓમાં નાશભાગ મચી જવા પામેલ ભૂરાયા બનેલા આખલાઓ અને નગરમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે પરેશાની વધી ગઈ છે આ આખલા યુદ્ધના કારણે પાર્કિંગ કરેલા વાહનોને ભારે નુકસાન થવા પામ્યુ હતું રખડતા પશુઓને તંત્ર પકડી પાંજરાપોળમાં પૂરે તેવી લોકોની માંગ છે









