
વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
ઉજ્જવલ નિકમ મુંબઈ આતંકી હુમલાના સરકારી વકીલ, હર્ષ શ્રૂંગલા પૂર્વ રાજદૂત, મીનાક્ષી જૈન ઈતિહાસકાર, સદાનંદ માસ્ટર ભાજપ નેતા
નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૂંગલા, ૨૬-૧૧ના મુંબઈ આતંકી હુમલા કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, કેરળ ભાજપ નેતા સી. સદાનંદ માસ્ટર અને દિલ્હી સ્થિત ઈતિહાસકાર અને શિક્ષણવિદ્ મીનાક્ષી જૈનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારેય હસ્તીઓને સાંસદ તરીકે નોમિનેટ થવા માટે અભિનંદન પાઠવ્યા હતા.










