
– 2024માં નેશનલ હાઇવે પર 52,609 જીવલેણ અકસ્માતો થયા હતાં
– છેલ્લા ત્રણ વર્ષમાં 1,12,561 કિમીના નેશનલ હાઇવે પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું : નીતિન ગડકરી
– સરકારે નહીં પણ એનજીટીએ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે : સરકારની સ્ક્રેપિંગ પોલિસી 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકતી નથી
નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૬,૭૭૦ લોકોનાં મોત થયા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં નેશનલ હાઇવે પર ૫૨,૬૦૯ જીવલેણ અકસ્માતો થયા હતાં.










