![]()
– શિવાલયો હર… હર… મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં
– પ્રસિદ્ધ મંદિરોમાં સવાલક્ષ બિલ્વપત્ર, ચારપ્રહોરની આરતી, શૃંગાર દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
માંડલ : શુક્રવારથી પવિત્ર મહામંગલકારી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે માંડલ અને દેત્રોજના ચુંવાળ પંથકમાં પણ પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોમાં આજ દર્શન પુજાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો.
શેજલમાં આવેલ શ્રી મૃત્યુંજય મહાદેવ મંદિરમાં વિદ્વાન પંડીતો દ્વારા અમાસની સાંજે ભોળાનાથ દાદાની મહાપુજા સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કરાયો હતો. કોટેશ્વર મહાદેવ, પાંડવકાલિન વાવેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, ભોળાનાથ મહાદેવ, ભીમનાથ,દુધેશ્વર મહાદેવ, ટ્રેન્ટ ગામે કપિલેશ્વર, દાલોદ ગામે જબ્રેશ્વર મહાદેવ તેમજ ચુંવાળ પંથકમાં આવેલ કાંત્રોડી ૫ હજાર વર્ષ પૌરાણિક કુંતેશ્વર મહાદેવ, ઓઢવ નજીકના ગૌતમેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સહિતના પ્રસિદ્ધ શીવાલયોમાં ભક્તોએ સવારે જળાભિષેક, ગૌદુધાભિષેક, બીલ્વપત્ર પુજા,વિવિધ દ્રવ્યોથી ભક્તોએ આ શ્રાવણના પ્રારંભભગવાન શીવને રીઝવ્યા હતાં. આ ઉપરાંત વિસ્તારના કેટલાંક મંદિરોમાં સવાલક્ષ બીલીપત્ર પણ શીવલીંગ ઉપર મંત્રોચ્ચાર સાથે ચડાવવાના આજથી શરૂ થયાં હતાં, પ્રસિદ્ધ મંદિરોમાં ચાર પ્રહોરની પુજા-અર્ચના, આરતી તેમજ મહાદેવજીને શૃંગાર દર્શન મંદિરોમાં સાંજે ભજન, ધુન, આરતી સહિત વાતાવરણ ધામક બની ઉઠયું છે.










