![]()
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાન મંદિરો સહિત શનિ મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી.
પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે સુરસાગર સ્થિત હઠીલા હનુમાન તથા નવા બજાર સીટ રોકડિયા હનુમાન અને ચોખંડી અને હરણી ખાતેના ભીડભંજન હનુમાન મંદિર સહિત પાણીગેટ ખાતે આવેલ હનુમાનજી મંદિર તથા વાડી અને અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસેના શનિ મંદિરોમાં પણ પવિત્ર શ્રાવણ માસના પહેલા શનિવારે મોટી સંખ્યામાં ભક્તજનો પૂજા અર્ચના અર્થે પહોંચ્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શનિ મંદિરો અને હનુમાન મંદિરો ખાતે હનુમાન ચાલીસા, સુંદરકાંડ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.










