
– વાન્સને મેં કહ્યું પાક. હુમલો કરશે તો ગોળીનો જવાબ ગોળાથી આપીશું
– ભારતનું લક્ષ્ય માત્ર આતંકીઓના સ્થળોનો નાશ કરવાનું હતું, પાક.ને ખબર પડી ગઈ કે હુમલો કરીશું તો ભારત ઘૂસીને મારશે : પીએમ મોદી
– પાકિસ્તાનને માત્ર ત્રણ દેશોનું જ્યારે ભારતને ફ્રાન્સ, જર્મની સહિત બધા જ દેશોનું સમર્થન
નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંઘર્ષ વિરામના દાવાથી લઈને, સૈન્યના હાથ બાંધવા અને પીઓકે પાછું કેમ ના લીધું જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.










